ડાંગ જિલ્લામાં જાગૃત નાગરિક દ્વારા ૨૦૨૩-૨૪નાં વર્ષમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જોકે બે તલાટીકમ મંત્રીઓ દ્વારા એક વર્ષ કરતા પણ વધુ સમય વીત્યા બાદ માહિતી આપવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલો ગંધીનગર માહિતી આયોગમાં પહોંચ્યો અને આ બંને તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો.
જેમાં માધુરીબેન એસ. ઠાકરે, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગામ પંચાયત, તા.આહવા, જિ.ડાંગ (હાલ-તલાટી-કમ-મંત્રી, ગ્રુપ ગ્રામ પંચાયત સાકરપાતળ, તા. વઘઈ, જિ. ડાંગ)ને ૧૦ હજાર અને ધ્રુવેશભાઈ એસ.ચૌધરી, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગ્રામ પંચાયત, તા.આહવા, જિ.ડાંગ (હાલ.તલાટી-કમ-મંત્રી, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, બારડોલી)ને ૨૫ હજારનો દંડ કરાયો હતો. હાલમાં આ બંને તલાટીઓએ આયોગમાં દંડ ભર્યો છે. આહવાના નડગખાદી ગામમાં રહેતા બાપુભાઈ એસ. માહલાએ ગત તા.૧૯/૦૯/૨૦૨૩નાં રોજ અરજી કરી પાસે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કેટલીક માહિતી માંગી હતી. જે બંને તલાટીએ નહી આપતા ગુજરાત માહિતી આયોગમાં અપીલ કરી હતી જે બદલ બંને તલાટીને દંડ ફટકારવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500