Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જયપુરમાં શ્રાવણ સોમવારે ગલતાજી કુંડ તીર્થ સ્થળ ખાતે ડૂબવાથી બે કાવડિયોનું મોત નિપજ્યું

  • August 13, 2024 

રાજસ્થાનના જયપુરમાં શ્રાવણ સોમવારે ગલતાજી કુંડ તીર્થ સ્થળ ખાતે ડૂબવાથી બે કાવડિયોનું મોત નીપજ્યું છે. મૃતક પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈ ગલતાજી ખાતે કાવડ લેવા આવ્યાં હતા ત્યારે બંને કુંડમાં નાહવા પડ્યાં હતા. આ દરમિયાન ભારે વરસાદને કારણે કુંડમાં પાણીનું સ્તર વધવાથી બંને ડૂબી ગયા હતા. આ પછી સિવિલ ડિફેન્સના જવાનોએ કલાકો સુધી કુન્ડમાં સર્ચ ઓપરેશન કરીને બંનેના મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યાં હતા.


આ ઘટના 12 ઓગસ્ટ બપોરના 1 વાગ્યે જયપુરના ગલતાજી કુંડ ખાતે ત્રણ મિત્રો કાવડ લેવા માટે તીર્થસ્થળ પહોંચ્યા હતા. આ દરમિયાન, ગલતાજીની સીડી પર તેના સાથી ભક્તોને નાહતા જોઈને સીધા કુંડમાં પડ્યાં હતા. તેવામાં ભારે વરસાદને કારણે ત્યાં હાજર લોકોએ ના પાડવા છતાં બંને યુવક કુંડમાં નાહવા પડ્યાં હતા. જેમાં થોડા સમયમાં બંને ડૂબવા લાગ્યા હતા. આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતકોની ઓળખ સોનુ કોલી (ઉ.વ.20) અને રાહુલ કોલી (ઉ.વ.23) તરીકે થઇ છે, બંને મૃતક સવાઇ માધવપુરના રહેવાસી છે અને એકબીજાના સંબંધી છે. બંનેના મૃતદેહોને સિવિસ ડિફેન્સની ટીમે પાણીથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application