Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું, જો ભારત UNSCનો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે

  • September 11, 2023 

તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે, જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)નો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે. તે મીડિયાને સંબોધી રહ્યા હતા. એર્દોગાને આ દરમિયાન પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરી હતી. P5 એટલે કે UNSCનાં પાંચ કાયમી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાના સંદર્ભમાં તૂર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે દુનિયા આં પાંચ દેશોથી ઘણી મોટી છે. તેમણે કહ્યું કે અમને ગર્વ થશે કે ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બની જાય. તેમણે કહ્યું કે અમારો કહેવાનો અર્થ એ જ છે કે આ ફક્ત અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા માટે જ નથી. અમે સુરક્ષા પરિષદમાં ફક્ત આ પાંચ દેશોને જ રાખવા નથી માગતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાન સાથે G20 શિખર સંમેલનથી અલગ દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી. આ મંત્રણા દરમિયાન બંને નેતાઓ વચ્ચે જુદા જુદા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application