Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેજરીવાલનું મોટું નિવેદન : આવતીકાલે 12 વાગ્યે તમામ ધારાસભ્ય-સાંસદ અને મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ

  • May 18, 2024 

આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, 'ભાજપ જેલ-જેલ રમી રહી છે. પહેલા મને જેલમાં નાખ્યો અને આજે મારા પીએને જેલમાં નાખી દીધો. અમે દિલ્હીમાં સારું કામ કર્યું છે, એટલા માટે અમને જેલ મોકલવા માંગે છે. જે કામ તેઓ નથી કરી શકતા તે અમે કરી રહ્યા છીએ.' કેજરીવાલે કહ્યું કે, 'દિલ્હીમાં કામ રોકવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આવતીકાલે 12 વાગ્યે તમામ ધારાસભ્ય-સાંસદ અને મોટા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જઈશ. આ લોકો આમ આદમી પાર્ટીની પાછળ પડ્યા છે.


અમારો શું વાંક? અમારા લોકોને જેલમાં કેમ પુરૂ રહ્યા છો. તમામને જેલ મોકલવાનું ષડયંત્ર છે. આજે મારા PAને જેલ મોકલ્યા છે. તમારે જેને જેલમાં પુરવા હોય તેને પુરીદો. ક્યાં સુધી પીએમ જેલની રમત રમશે.' કેજરીવાલે કહ્યું કે, 'તમે જોઈ રહ્યા છો કે આ લોકો કેવી રીતે આમ આદમી પાર્ટીની પાછળ પડી ગયા છે. એક બાદ એક અમારા નેતાઓને જેલ મોકલવામાં આવી રહ્યા છે. તેમણે મને જેલ મોકલી દીધ, મનીષ સિસોદિયાને જેલ મોકલ્યા, સત્યેન્દ્ર જૈનને જેલ મોકલ્યા, સંજય સિંહને જેલ મોકલ્યા, આજે મારા પીએને જેલમાં નાખી દીધા, હવે તેઓ કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢાને પણ જેલમાં નાખીશું. જે હમણા જ લંડનથી પરત ફર્યા છે. તેઓ કહી રહ્યા છે કે સૌરભ ભારદ્વાજને પણ જેલમાં નાખીશું, આતિશીને પણ જેલમાં નાખીશું.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application