નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લા માં સોમવારે નવા 8 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે 8 દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં નાંદોદના ગોપાલપુરા 2, પોઇચા 1 જ્યારે ગરુડેશ્વર તાલુકાના નવા વાઘપુરા પ્રા. શાળા 1 અને તિલકવાડા 2 કંથરપૂરા 1 નવાપુરા 1 મળી નર્મદા જિલ્લા માં કુલ 8 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-03 છે,જ્યારે 10 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં 38 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 43 દર્દી દાખલ આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1124 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક 1226 એ પહોચ્યો છે.આજે વધુ 614 સેમ્પલ ચકાસણી હેઠળ છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500