નંદુરબાર શહેરમાં ત્રણ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને શખ્સે આત્મહત્યા કરી હતી. બનાવની વિગત એવી છે કે, રવિન્દ્ર શિવદાસ યેલવે (ઉ.વ.૪૫., રહે.કોકણી હીલ દેવમોગરા કોલોની પ્લોટ નં.૩૯)એ શાહુકારો સચિન ચૌધરી, દીપક ચૌધરી અને આકાશ સોનવણે પાસેથી કોઈ કામ અર્થે વ્યાજે રૂપિયા લીધા હતા એ રૂપિયા આપવામાં મોડું થતાં રૂપિયા ઉઘરાવવા માટે ત્રણેયએ અવર નવર મોબાઈલથી ધાક ધમકી આપી ત્રાસ આપવા લાગ્યા હતા જેથી કંટાળીને રવિન્દ્ર યેવલેએ ગત તારીખ ૩૧ ડિસેમ્બર નાંરોજ સાંજના સમયે ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાના અક્ષેપ સાથે તેની પત્ની કવિતાબેન રવિન્દ્ર યેલવે (ઉ.વ.૩૭)એ નંદુરબાર પોલીસ મથકમાં ત્રણેય વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application