Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરળના કોઝીકોડ જિલ્લામાં નિપાહ વાઇરસથી ત્રણ લોકો પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું

  • September 15, 2023 

કેરળના કોઝીકોડ જિલ્લામાં નિપાહ વાઇરસના સંક્રમણથી બે લોકોનાં મોત થયા છે અને અન્ય ત્રણ લોકો પોઝિટિવ આવતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ ટેસ્ટિંગ માટેની બીએસએલ-3 લેબ કેરળ મોકલી છે. આ લેબમાં સંભવિત સંક્રમિતોના ટેસ્ટ કરવામાં આવશે. આઇસીએમઆરએ નિપાહ વાઇરસની એકમાત્ર ઉપલબ્ધ પ્રાયોગિક સારવાર મોનોકલોનલ એન્ટિબોડી પણ કેરળ મોકલી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, કેન્દ્રની નિષ્ણાત કમિટી સાથે એન્ટિવાયરલની સ્ટેબિલિટીની ચર્ચા કરવામાં આવી છે.



તેમણે વધુમાં જણાવ્યું હતું કે નિષ્ણાત કમિટી આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. જ્યોર્જે વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વચ્ચે બેઠક યોજાઇ હતી. અત્યાર સુધીના સંભિવિત સંક્રમિતોના સેમ્પલ પુણેની એનઆઇવીમાં મોકલવામાં આવતા હતાં. આ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રે 16 સપ્ટેમ્બર શનિવારના રોજ કોઝીકોડની શૈક્ષણિક સંસ્થાઓમાં રજાની જાહેરાત કરી હતી. અગાઉ જ ગુરૃવાર અને શુક્રવારની રજા જાહેર કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News