Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં ત્રણ અલગ અલગ બનાવમાં ત્રણ જણાએ આત્મહત્યા કરી

  • August 31, 2023 

સુરતમાં આપધાતના ત્રણ બનાવમાં કાપોદ્રામાં સોમવારે નાંણાકીય તકલીફ પડતી હોવાથી રત્નકલાકર તથા કતારગામમાં માનસિક બિમારીના લીધે યુવાન અને રાંદેરમાં કોઇ કારણસર યુવાને આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ, મુળ ભાવનગર જીલ્લામાં પાલીટાણાના વતની અને હાલમાં કાપોદ્રા વિસ્તારમાં ઇશ્વરકૃર્પા સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય હરીભાઇ લાલજીભાઇ ધામેલીયા સોમવારે સવારે ઘરમાં ફિનાઇલ ગટગટાવી ગયા હતા. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.



જયાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે કહ્યુ કે, હરીભાઇ નાંણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રત્નકલાર તરીકે કામ કરતા હતા. બીજા બનાવમાં કતારગામ રોડ પર કુબેરનગરમાં રહેતો ૩૪ વર્ષીય હિતેશ મનોજભાઇ ગોહિલે સોમવારે મોડી રાતે બીજા માળેથી નીચે કુદી પડયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો.



પોલીસે કહ્યુ કે હિતેશ છેલ્લા કેટલાક સમયથી માનસિક બિમારી પીડાતો હોવાથી આ પગલુ ભર્યુ હતુ. તેના પિતા હીરા દલાલી કરે છે. ત્રીજા બનાવમાં રાંદેરમાં પાલનપુર જકાતનાકા પાસે હિદાયતનગરમાં રહેતો ૨૭ વર્ષીય જીગ્નેશ સુનીલભાઇ પટેલે સોમવારે સાંજે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. જયારે તે સુમુલ ડેરીમાં ડ્રાઇવીંગ કામ કરતો હતો. તેની પત્ની સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેના પિતા નિવૃત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application