જામનગર જિલ્લાનાં સૂઈ ગામ તાલુકાનાં સોનેથ ગામ નજીક ટેન્કર અને લકઝરી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, રોડ ચીચીયારીઓથી ગુંજી ઉઠતાં હ્નદયદ્રાવક દ્રશ્યો સર્જયા હતાં. અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયાં હોવાથી વાવ-થરાદ સહિત સુઈગામની 108 એમ્બયુલન્સ મારફતે થરાદ અને ભાભરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
મળતી માહિતી મુજબ, જામનગરથી રાજસ્થાન જતી ખાનગી લકઝરીને સૂઈ ગામ તાલુકાના સોનેથ ગામ નજીક રોંગ સાઇડે આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં અને 10થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. મધ્યરાત્રિએ ભયંકર ધડાકો થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફત ભાભર અને થરાદની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જોકે સમગ્ર વિસ્તાર ચિચિયારીઓથી ગુંજતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જયા હતાં. જ્યારે મૃતકોને પીએમ અર્થે સુઈગામની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application