Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં પરણીતાના હત્યાના કેસમાં ત્રણની અટકાયત, સાસુ મકાનની બહાર દેખરેખ માટે હતી, સસરાએ પુત્રવધુ ના પગ પકડ્યા હતા, સોપારી લેનારે તકિયા વડે મોઢું દબાવ્યું

  • March 29, 2023 

વ્યારાના વૃંદાવન ધામ સોસાયટીમાં 23 વર્ષીય પરણિતાના હત્યાના કેસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. આંતરજ્ઞાતિય લગ્નનો દ્વેષભાવ રાખી સાસુ અને સસરાએ જ વહુની હત્યા કરાવી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.



શરૂઆતમાં તેના સાસરી પક્ષે દલીલ કરી હતી કે તાવની દવા પીતા તેનું મોત થયુ છે

મળતી માહિતી મુજબ અંજલી કોળી નામની આ પરણિતાનો મૃતદેહ તેના ઘરેથી મળ્યો હતો. આ અંગે મૃતક પરણીતાના પિતાએ સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં તેના સાસરી પક્ષે દલીલ કરી હતી કે તાવની દવા પીતા તેનું મોત થયુ છે, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોઢું દબાવી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.


પુત્રવધુની હત્યા આંતરજ્ઞાતિ લગ્નનો દ્રેષભાવ રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું 

પરણીતાની હત્યાની ઘટનાને અંજામ આપવા સાસુ-સસરાએ સંબંધીને બે લાખમાં હત્યાની સોપારી આપી હોવાનું ખુલાસો થયો છે, વ્યારાના વૃંદાવન ધામ સોસાયટીમાં પરણીતા અંજલી કોળીનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો જેમાં પ્રાથમિક તબક્કે અકસ્માતમાં મોતનું ગુનો દાખલ કરી ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું, પોલીસે તપાસ કરતાં સાસુ અને સસરાએ પુત્રવધુની હત્યા આંતરજ્ઞાતિ લગ્નનો દ્રેષભાવ રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


રૂપિયા ૨ લાખમાં હત્યા કરવા સોપારી અપાઈ હતી

હત્યાને અંજામ આપવા પહેલા સાસુ મકાન બહાર બેસીને દેખરેખ કરી રહી હતી જ્યારે સસરાએ પુત્રવધુ ના પગ પકડ્યા તો હત્યાની સોપારી લેનાર દૂરના સબંધીએ તકિયા વડે અંજલીનું મોડું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સસરો સંભાજીભાઈ કોળીએ તેમના ઓળખીતા સગા હીરાલાલભાઈ ઉર્ફે અન્નાને કુલ રૂપિયા 2 લાખ આપી ખૂનના ગુનામાં મદદરૂપ તથા અંજામ આપવામાં માટે થઇ સોપારી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application