Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેવદર્શન કરી પાછા આવી રહેલ પરિવારને અકસ્માત નડતા ત્રણનાં મોત, સાત ઈજાગ્રસ્ત

  • July 12, 2023 

દેવદર્શન કરીને પાછા આવી રહેલા પરિવારની ગાડીને નાગપુરમાં અકસ્માત નડતા વૃદ્ધ અને બે બાળકનાં મોત નિપજ્યા હતા. જ્યારે સાત જણને ઈજા થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભંડારામાં રહેતો રાજેશ ભેંડારકર તેના પરિવાર સાથે દેવદર્શન માટે ગયા હતા. તેઓ કારમાં પાછા આવી રહ્યા હતા. ત્યારે નાગપુરમાં રામટેક-ભંડારા રોડ પર રસ્તા પર બેદરકારી પૂર્વક પાર્ક કરાયેલા ટ્રક સાથે કારની અથડામણ થઈ હતી. આ દુર્ઘટનામાં 70 વર્ષીય પરસરામ ભેંડારકર, આઠ મહિનાનાં હિમાંશુ, આઠ વર્ષની ભાર્ગવીનું મૃત્યુ થયું હતું, જ્યારે સાતને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયારે અકસ્માતમાં કારના આગળની ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application