Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં બાકરોલ ગામમાં ચોરીનાં ગુન્હામાં સંડોવાયેલ ત્રણ આરોપી ઝડપાયા

  • March 02, 2025 

અંકલેશ્વરનાં બાકરોલ ગામમાં થયેલ ચોરીના આરોપીઓને બાતમીના આધારે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી લઈ રૂ.૧.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી મુજબ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.પી. વાળા તેમજ આર.કે.તોરાણી સહિતની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં.


તે દરમિયાન બાતમી મળેલ કે, વાલિયા ચોકડી ખાતે અગાઉ મકાનમાં ઘરફોડ ચોરીના આરોપીઓને બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ પૂછપરછ કરતા ઉમેદ દયાળ બગડીયા ચેતન વનકેસર નિજમાં (ચોરીનો માલ લેનાર), અનિલ વીરજી માળી (ચોરીનો માલ લેનાર)એ અંકલેશ્વરમાં વાસ્તુ વિલાસ સોસાયટીમાં મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરેલી જે આરોપી ભાગેડું રવિ ઈન્દ્રસિંહ રાજને આપેલ હોય તેમજ ભરૂચમાં પાંચબત્તી પાસે કેસર નીજમને રોકડા રૂ.૨૫૦૦૦ આપેલ હોય તેમ જ અન્ય દાગીના ઝાડેશ્વર ગાયત્રી એસ્ટેટમાં આવેલ કેસર જવેલર્સમાં અનિલ વીરજી માળીને રૂ.૨૨,૦૦૦/-માં વેચાણ કર્યો હોવાનું જણાવેલ, પોલીસે ચોરીના રૂ.૧,૧૫,૦૩૯/-ના દાગીના મળી કુલ રૂા.૧,૮૩,૦૩૯ નો મુદ્દામાલ કબજે લઈ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આ કેસમાં રવિ ઈન્દ્રસિંહ રાજને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application