Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશરક્ષામાં ગુજરાતના આ વીરજવાન શહીદ થયા

  • August 06, 2023 

જમ્મુ કશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન શહીદ થયા છે. ખૂબ દુઃખની વાત એ છે કે જવાનની પત્ની ગભર્વતી છે ત્યારે આ જવાન સંતાનનું મોઢું જોયા પહેલા જ વીરગતિને પામ્યા છે.



મળતી માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદના વિરાટનગરની સદાશિવ સોસાયટીમાં રહેતા મહિપાલસિંહ વાળા (ઉં.વ 27) છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા. તેમની પહેલી પોસ્ટિંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે 4 વર્ષ ફરજ બજાવી હતી. જે બાદ ત્રણ વર્ષ સુધી ચંદીગઢમાં ફરજ બજાવી હતી. છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીર થઈ હતી. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓનો સામનો કરતાં મહિપાલસિંહ વાળા વીરગતિ પામ્યા છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તેમના લગ્નને ત્રણ વર્ષ થયા હતા અને તેમના પત્ની સગર્ભા છે. તેઓ એકાદ મહિના પહેલા જ પરિવારને મળવા આવ્યા હતા, પંરતુ આવનારા સંતાનનું મોઢું જોયા વિના જ દેશની રક્ષા માટે પ્રાણ ગુમાવી શહીદ થઈ ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News