Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં આતંકવાદીઓનો ત્રીજો હુમલો : બે જવાનો ઈજાગ્રસ્ત

  • August 14, 2022 

શ્રીનગરનાં અલી કદરમાં સુરક્ષાદળો પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. એમાં બે જવાનોને ઈજા પહોંચી હતી. જયારે હુમલો કરીને નાસી ગયેલા આતંકવાદીઓને પકડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં ત્રીજો આતંકી હુમલો થયો હતો.




શ્રીનગરનાં અલી કદરમાં સુરક્ષાદળોને નિશાન બનાવીને વધુ એક આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટૂકડી પર ગ્રેનેડ એટેક કર્યો હતો. ગ્રેનેડ ફાટતા બે સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજા પામેલા સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.




આતંકીઓએ CRPFનાં જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. બીજી તરફ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોની ટૂકડીએ આખાય વિસ્તારને ઘેરાબંદી કરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખાય વિસ્તાર ફરતો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આસપાસની તમામ ચોકીઓને એલર્ટ કરીને આતંકવાદીઓને પકડી લેવા કવાયત શરૂ કરાઈ છે.




જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં આ ત્રીજો હુમલો થયો હતો. એક દિવસ પહેલાં જ અનંતનાગના બિજબેહરા અને બાંદીપોરમાં હુમલા થયા હતા, જેમાં એક પ્રવાસી મજૂરનું મોત થયું હતું અને એક જવાનને ઈજા પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News