Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હું હિંદુ ધર્મને પાગલપન માનું છું એવું લખાણ લખેલા કેજરીવાલના પોસ્ટરો લાગ્યા, લોકોમાં ભારે રોષ

  • October 09, 2022 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પાર્ટી એકબીજા પર આકરા પ્રહારો કરતી જોવા મળી રહી છે. ત્યારે રાજકારણમાં નવો એક વળાંક સામે આવ્યો છે. જેમાં શનિવારે રાજકોટ,અમદાવાદ સહિતના શહેરમાં લોકો સવારે ઉઠ્યા ત્યારે અનેક જગ્યાએ આપ સરકારનો હિન્દુ વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો તેવા પોસ્ટરો લાગેલા જોયા.પોસ્ટરમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો મુસ્લિમ ટોપી પહેરેલો ફોટો છે. આ સાથે જે અલગ અલગ પોસ્ટર લાગ્યા છે. એકમાં લખ્યું છે હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું. અન્ય એક પોસ્ટરમાં લખ્યું છે હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિન્દુ ક્રિયાઓ કરીશ નહીં. વધુમાં પોસ્ટરોમાં લખ્યું છે આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર.




ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આપએ ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ એક વાતાવરણ ઊભું કર્યું હતું.વધુમાં મફત વીજળી,મહિલાઓને ભથ્થું જેવી યોજનાઓથી ગુજરાતીઓને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે,દિલ્હીમાં આપ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિન્દુ દેવ-દેવીઓનું અપમાન કરતાં નિવેદનથી ગુજરાતમાં આપના ચૂંટણી પ્રચારને મોટો ફટકો પડવાની શક્યતા છે. રાજેન્દ્ર પાલ ગૌતમના નિવેદનનો ભાજપ ભરપૂર ફાયદો ઉઠાવશે અને ગુજરાતમાં શનિવારે એ જ થયું. હિન્દુ ધર્મ પ્રત્યે સંવેદનશીલ ગુજરાતમાં શનિવારે સવારથી જ અનેક શહેરોમાં આપ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટરો લાગી ગયા. આ સાથે દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો હિન્દુ વિરોધી નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News