Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં જમાદાર ફળિયામાં આવેલ મંદિરમાંથી ચોરી, અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ

  • August 07, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં જમાદાર ફળિયામાં આવેલ મંદિરમાં દાન પેટી તોડી રૂપિયાની ચોરી થતાં અજાણ્યા ચોર ઈસમ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સોનગઢ નગરનાં જમાદાર ફળિયામાં નાગનાથ મહાદેવ મંદિર તથા હનુમાનજી મંદિર માંથી ગત તારીખ 02/08/2023નાં રોજ કોઈ અજાણ્યા ચોર ઇસમે ધર્મદા દાન પેટી તોડી તેમાંથી પરચુરણ સીલક આશરે રૂપિયા 6,000/-ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે શરદ રતિલાલ ગુરવ નાએ તારીખ 05/08/2023નાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application