Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં રૂમકીતળાવ ગામે જ્વેલર્સની દુકાનમાંથી થઈ ચોરી, માલિકે અજાણ્યા ચોર સામે નોંધાવી ફરિયાદ

  • November 04, 2023 

નિઝર તાલુકાનાં રૂમકીતળાવ ગામમાં આવેલ ધારેશ્વર જ્વેલર્સની દુકાનમાંથી ત્રણ અજાણ્યા ચોર  ઇસમોએ રૂપિયા 1.89 લાખનાં દાગીનાની ચોરી કર્યાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવેલ હતો. મળતી માહિતી મુજબ, મૂળ નંદુરબારનાં સુમિતભાઈ દિલીપભાઈ શરાફની ધારેશ્વર જ્વેલર્સ નામની દુકાન રૂમકીતળાવ ગામે આવેલ છે અને જેઓ રાબેતા મુજબ સવારે દુકાન ખોલવા ખોલી રહ્યા હતા. તે સમયે દુકાનનો એક તરફ લોખંડના સટલનો દરવાજો અડધો ખુલ્લો હતો.



ત્યારબાદ સુમિતભાઈ દુકાનની અંદર પ્રવેશ કરી તપાસ કરતાં દાગીનાની ચરી ચોરી થઈ હોવાનું જણાય આવ્યું હતું. જેથી સુમિતભાઈએ દુકાનમાં લગાવેલ CCTV કેમેરા ચેક કરતા બહારની સાઈડવાળા કેમેરામાં જોવા મળ્યું હતું કે, ત્રણ અજાણ્યા ઇસમો બાઇક ઉપર આવ્યા હતા અને ત્રણેયના મોઢા ઉપર માસ હતો તેમજ દુકાનની અંદર બે ઈસમો પ્રવેશ કર્યો અને દુકાનમાંથી રૂપિયા 1.89 લાખનાં ચાંદીના ઘરેણા ચોરી કરી નાસી છૂટ્યા હતા. ચોરી અંગે સુમિતભાઈએ નિઝર પોલીસ મથકે અજાણ્યા ત્રણેય ચોર સામે ચોરીનો ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application