Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેસરપુરા ગામ નો યુવાન પાણીમાં તણાયા બાદ શોધખોળ ચાલુ

  • September 02, 2020 

નર્મદા જિલ્લાના તિલકવાડાં તાલુકાના કેસરપુરા ગામ નજીક કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો નાળુ આવેલુ હોય જેની સપાટી ઘણી નીચા પ્રમાણ માં હોવાથી ચોમાસા દરમિયાન નદી ના પાણી આવી જતા હોય છે જેના કારણે તિલકવાડાં થી સાવલી જવાનો મુખ્ય રસ્તો બંધ કરવો પડે છે અને પાણી આવી જવાથી અંદજીત દસ, પંદર ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે.

 

હાલ ડેમો માંથી પાણી છોડાતા કેસરપુરા નજીક મોટા પ્રમાણ માં પાણી આવી ગયું છે જ્યાં કેસરપુરા ગામનો એક યુવાન પાણી ના પ્રવાહ માં ખેંચાઈ ગયો હતો જેની જાણ થતાં ગામ ના સરપંચ તથા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તિલકવાડાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચીને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નાવડી વડે યુવાન ને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

કેસરપુરા અને માહિજીપૂરા ને જોડતો બ્રિજ નીચી સપાટી નો હોવાથી વારંવાર તેના ઉપર પાણી ફરી વળે છે જેના લીધે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે જેથી ગામલોકો ની એવી માંગ છે કે જુના બ્રિજ ની જગ્યા પર નવો ઉંચો બ્રિજ બનાવવામાં આવે જેથી આવા બનાવ ના બને અને વાહન ચાલકો ને રાહત થાય.(ભરત શાહ,રાજપીપળા_


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News