Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લા 17 દિવસમાં ત્રીજી વખત આવેલ ભૂકંપનાં ઝટકાથી ઇન્ડોનેશિયામાં ભયનો માહોલ

  • December 09, 2022 

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને મેઈન આઈલેન્ડ જાવામાં ગુરૂવારે ભૂકંપનાં ઝટકા આવ્યા હતાં. છેલ્લા 17 દિવસમાં ત્રીજી વખત આવેલા ભૂકંપનાં ઝટકાથી ઇન્ડોનેશિયામાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને મેઈન આઈલેન્ડ જાવાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલ સિરિજંગ-હિલિરનાં 14 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં 123.7 કિલોમીટર ઊંડાઈમાં હતું. આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિની ખબર આવી નહતી. ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયામાં 21 નવેમ્બરનાં રોજ આવેલા ભૂકંપમાં 334 લોકોનાં મોત થયા હતા અને 600 લોકો ઘાયલ થયા હતા.




સુલાવેસીમાં 2018માં આવેલા ભૂકંપ અને સુનામી બાદ આ ઈન્ડોનેશિયાનો સૌથી વિનાશક ભૂકંપ હતો. સુલાવેસીમાં આવેલા ભૂકંપમાં લગભગ 4340 લોકોનાં મોત થયા હતા. ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવવા સામાન્ય બની ગયા છે. પરંતુ, રાજધાની જકાર્તામાં તેના ઝટકા મહેસૂસ થવા અસામાન્ય બાબત છે. ડિસેમ્બર 3નાં રોજ પણ ઈન્ડોનેશિયાનાં મુખ્ય દ્વીપ પાસે આવેલા ભૂકંપમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપને કારણે ઈન્ડોનેશિયાનાં ઘણા ભાગોમાં નુકશાનની ખબરો આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application