Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જંત્રી વધારાને લઈ રાજ્ય સરકારે નિર્ણયમાં કર્યો ફેરફાર , હવે આ તારીખથી થશે અમલી

  • February 12, 2023 

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેનો રાજ્યના બિલ્ડર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારના પરિપત્રમાં જત્રી દર બમણો કરવામાં આવ્યો હતો. આથી બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે બેઠક કરી આ અંગે ફરી વિચાર કરી નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સરકારે હવે રાહત આપતો નિર્ણય કર્યો છે.




સરકાર દ્વારા જંત્રીમાં કરવામાં આવેલો વધારો હવે 15 એપ્રિલ, 2023થી અમલી થશે. જો કે, અગાઉ જંત્રીમાં વધારો 5મી ફેબ્રુઆરીથી અમલી થવાનો હતો.રાજ્ય સરકાર દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જંત્રી વધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી.



આ બેઠકમાં રાજ્યના અગ્ર સચિવથી લઈને અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા બાદ રાજ્ય સરકારે જંત્રી વધારાનો નિર્ણય હાલ મોકૂફ રાખી 15 એપ્રિલ, 2023થી અમલી કરવા નિર્ણય કર્યો છે. આ અંગે આજે વહેલી સવારે CM કાર્યાલય તરફથી ઓફિશિયલ મેસેજ આપવામાં આવ્યો હતો.




બિલ્ડર્સે સરકારના નવા નિર્ણયને આવકાર્યો

સરકારના નવા નિર્ણયથી બિલ્ડર્સે હાશકારો લીધો છે અને સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યમાં એકાએક જંત્રીમાં વધારો થતા બિલ્ડર્સ નારાજ હતા. ત્યાર હવે સરકારના નવા નિર્ણયથી બિલ્ડર્સ એસોસિએશને ખુશી વ્યક્ત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News