ભરૂચમાં ગુરુ અને શિષ્યની ગરીમાં ને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે,જેમાં હેવાન બનેલા એક શાળાના પ્રિન્સિપાલે એક વિદ્યાર્થીની ને પોતાની હવસ નો શિકાર બનાવતા શિક્ષણ જગત માટે કલંકિત કરતી ઘટના સામે આવી છે,ઘટના બાદ મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને હેવાન બનેલા પ્રિન્સિપાલ ની કરતુતો સામે લોકો ફિટકાર ની લાગણી વર્ષાવી રહ્યા છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ એક વિધા મંદિર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા નરાધામે પોતાની જ શાળામાં આવતી માસૂમ આદિવાસી સગીરા ને પોતાની હવસ નો શિકાર બનાવી હતી,વિદ્યાર્થીની ને નાપાસ કરવાની ધમકીઓ આપી નરાધમ આચાર્ય એ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,વિદ્યાર્થીની શાળાએ ન જતા અને શાળા એ ગયા બાદ સમગ્ર ઘટના અંગેની જાણ ફોન કરી પોતાની બહેન ને કરતા મામલા અંગેનો ભાંડો ફૂટ્યો હતો,જોકે હાલ માં સમગ્ર બાબત અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે નરાધન સામે બળાત્કાર અને પોકસો હેઠળ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે,તેમજ તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે,તો બીજી તરફ સગીરાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસણી અર્થે ખસેડવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500