Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાવર ઓફ એટર્ની પર દસ્તાવેજ વખતે મૂળ જમીનનાં માલિકને તંત્ર દ્વારા જાણ કરાશે

  • May 17, 2022 

ગાંધીનગર સહિત રાજ્યભરમાં પાવર ઓફ એટર્નીનાં આધારે અનેક કિસ્સામાં જમીન બારોબાર વેચવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પાવર ઓફ એટર્નીના આધારે હવે કોઈ દસ્તાવેજ થશે ત્યારે મૂળ જમીન માલિકને તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે. કાયદાકીય રીતે પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ નોંધણી થઈ શકે છે, જેને પગલે તંત્ર દ્વારા નોંધણીની પ્રક્રિયા રોકવામાં નહીં આવે પરંતુ માત્ર મૂળ જમીન માલિકોને તંત્ર દ્વારા ખાલી જાણ કરવામાં આવશે. સામાન્ય રીતે અનેક કિસ્સામાં ખોટા પાવર ઓફ એટર્નીના આધારે જમીનના દસ્તાવેજ થઈ ગયા બાદ વર્ષો પછી જમીન માલિકોને તેની જાણ થાય છે.



ગાંધીનગરમાં મેંદરા ખાતે અંદાજે 16 વીઘા જેટલી જમીન કથિત રીતે ખોટી પાવર ઓફ એટર્નીના આધારે જમીન પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. જે અંગે આગામી સમયે પોલીસ ફરિયાદ નોંધાશે, સમગ્ર મુદ્દે ખેડૂતોએ સબ રજિસ્ટાર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. જોકે મેંદરા, કરાઈ, ગલુદણ સહિતનાં કિસ્સાઓને જોતા ગાંધીનગરના કલેક્ટર દ્વારા નાગરિકોના હિતમાં નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.



મળેલી માહિતી મુજબ ગાંધીનગરમાં સબ રજિસ્ટાર કચેરી દ્વારા પાવર ઓફ એટર્નીના આધારે જમીન દસ્તાવેજના કિસ્સામાં મૂળ જમીન માલિકોને જાણ કરશે. જેમાં દસ્તાવેજ કરાયો છે કે કરાઈ રહ્યો છે તેવી ખાલી જાણ જ કરવામાં આવશે, તેમાં દસ્તાવેજની નોંધણીની કામગીરીમાં કોઈ ફેર નહીં પડે. માત્ર નાગરિકોની સુવિધા માટે જ મૂળ જમીન માલિકોને તંત્ર દ્વારા જાણ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application