Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓમિક્રોનનું સૌથી અસામાન્ય લક્ષણ આવ્યું સામે, શું છે લક્ષણ, વધુ વિગત વાંચો...

  • January 03, 2022 

સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ઓમિક્રોન અંગેની નવી-નવી જાણકારીઓ એકત્રિત કરી રહ્યા છે. જયારે WHO દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, ઓમિક્રોન કોરોના વાયરસના કોઈ પણ વેરિએન્ટની સરખામણીએ ઝડપથી ફેલાય છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લક્ષણો પર ધ્યાન ન આપવાની બેદરકારીના કારણે કેસની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. આ કારણે જ હેલ્થ એક્સપર્ટ્સ લોકોને કોઈ પણ પ્રકારના લક્ષણો નજરઅંદાજ ન કરવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટર્સે ઓમિક્રોનના એક અસામાન્ય લક્ષણ અંગે જણાવ્યું છે જેના પર સામાન્ય રીતે લોકો ધ્યાન જ નથી આપતા.

ઓમિક્રોનનું અસામાન્ય લક્ષણ

કોરોનાના સૌથી સામાન્ય લક્ષણોમાં સ્વાદ અને સુગંધ જતા રહેવા, તાવ, ગળામાં ખારાશ અને શરીર દર્દનો સમાવેશ થાય છે. જોકે, ઓમિક્રોનના દરેક દર્દીઓમાં આવા લક્ષણો નથી નોંધાઈ રહ્યા. અત્યાર સુધીના ડેટાના આધાર પર વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, કોરોનાના માત્ર 50 ટકા દર્દીઓમાં તાવ, કફ અને સ્વાદ-સુગંધની ઉણપનો અનુભવ થઈ રહ્યો છે. જોકે ઓમિક્રોનના મોટા ભાગના દર્દીઓમાં એક ખાસ લક્ષણ ચોક્કસ નોંધાયું છે અને તે છે ભૂખ ન લાગવી. જો તમને કેટલાક અન્ય લક્ષણોની સાથે ભૂખ નથી લાગી રહી તો તમારે કોઈ ડોક્ટર કે એક્સપર્ટની સલાહ લેવી જોઈએ અને ત્યારબાદ કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application