Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના દેવજીપુરામાં બંધ મકાનનું તાળું તૂટ્યું,ચોરટાઓ સોના નું મંગળસુત્ર લઇ ગયા

  • May 19, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢ નગરનાં દેવજીપુરા ચાર રસ્તા પાસે એક ઘરનું તાળું તોડી અજાણ્યા ચોરટાઓ સોનાનું મંગળસુત્ર ચોરી લઇ નાશી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.


મળતી માહિતી મુજબ, સોનગઢનાં દેવજીપુરા ચાર રસ્તા પાસે પરિવાર સાથે રહેતી મહિલા રેખાબેન અશોકભાઈ રાણા નાંઓના ઘરે ગત તા.૧૩/૦૫/૨૦૨૩નાં કલાક ૦૬/૦૦થી તા.૧૬/૦૫/૨૦૨૩નાં કલાક ૨૧/૪૫નાં વાગ્યા સમય દરમિયાન અજાણ્યા ચોર ઇસમે રેખાબેનનાં ઘરનાં આગળનાં મેઇન દરવાજાનાં નકુચાને કોઇ બોથડ પદાર્થ દ્રારા તોડી ઘરની અંદર પ્રવેશ કરીને ઘરનાં પ્રથમ રૂમમાં મુકેલ લોખંડના કબાટનો દરવાજો ખોલી લોકરમાં મુકેલ સોનાનું મંગળસુત્ર આશરે સવા બે તોલા જેની કિંમત રૂપીયા આશરે ૧,૧૦,૦૦૦/-ની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે રેખાબેન એ બુધવારનાં રોજ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.આપને અહી જણાવી દઈએ છીએકે, આ પરિવાર ઘરને તાળું મારી પોતાના સગાના ત્યાં વસ્તુ પૂજામાં ગયો હતો તે દરમિયાન બંધ મકાનનું તાળું તોડી ચોરટાઓ સોનાનું મંગળસૂત્ર ચોરી કરી નાશી છુટ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application