Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Committed Suicide : પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે થયેલ ઝઘડામાં પતિએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

  • August 03, 2024 

વડોદરામાં પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે કંકાસ થતા ઉશ્કેરાયેલા પતિએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છાણી જકાતનાકા વિસ્તારની આનંદવન સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષના તરૂણકુમાર મહેન્દ્રભાઇ પટેલ જી.એસ.એફ.સી.માં ફોરમેન તરીકે નોકરી કરતા હતા.


તેમના બે દીકરાઓ અભ્યાસ કરે છે. જ્યારે પત્ની બેલાબેન ઘરકામ કરે છે. પત્ની સાથે કોઇ બાબતે તેઓને ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઝઘડો વધે નહીં તે માટે પત્ની ઘરેથી બહાર નીકળી ગઇ હતી. પરંતુ આવેશમાં આવેલા તરૂણકુમારે દીકરાને કોલ કરીને કહ્યું કે, હું ભગવાનના ઘરે જઉં છું. ત્યારબાદ તેમણે બેડરૂમમાં જઇને ફાંસો ખાઇ લીધો હતો. આ તરફ દીકરો વાઘોડિયા ચોકડી પાસે હતો. તે તરત ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. મિત્રની મદદથી ઘરનો દરવાજો તોડીને તેણે અંદર જઇને જોતા પિતાએ ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application