Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડમાં મોટાબજારનાં જૈન દેરાસર નજીક રહેતા વેપારીનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો, સીટી પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તપાસ હાથ ધરી

  • June 19, 2023 

વલસાડ શહેરનાં મોટા બજાર વિસ્તારમાં આવેલા જૈન દેરાસર નજીક એક ઘરમાં રવિવારે રાત્રે અતિ દુર્ગંધ આવતી હતી. જેથી સ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમની મદદ લઈને વલસાડ સીટી પોલીસને ઘટનાની જાણ કરી હતી. સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને ચેક કરતા ઘરમાંથી ડિકમ્પોઝ હાલતમાં વેપારીની લાશ મળી હતી. આ ઘરમાં એકલા રહીને સુડી બનાવી વેચવાનો વ્યવસાય કરતા હતા. જોકે પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.



મળતી માહિતી મુજબ, વલસાડનાં મોટાબજાર જૈન દેરાસર નજીક રહેતા યોગેશભાઈ રમેશચંદ્ર સુડગર એકલા રહીને ઘર આગળ આવેલી દુકાનમાં સુડી વેચવાનો તેમજ અન્ય સામગ્રી વેચવાનો વ્યવસાય કરતા હતા. જોકે રવિવારે મોડી રાત્રીએ યોગેશભાઈનાં ઘરમાંથી તીવ્ર દુગંધ આવતા આજુબાજુનાં સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી હતી. જેથી વલસાડ સીટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા યોગેશભાઈ સુડગરની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી.



જયારે આજુબાજુમાં રહેતા પાડોશીઓની સીટી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતાં બે દિવસથી યોગેશભાઈએ દુકાન ખોલી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી તેઓ બહાર ગયા હોવાનું અનુમાન સ્થાનિક લોકોએ લગાવ્યું હતું. રવિવારે તેમના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતા પાડોશીઓ તેમની રૂમનો દરવાજો ખખડાવી યોગેશભાઈને બૂમ મારી બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. યોગેશભાઈએ દરવાજો ન ખોલતા અને રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી અજુગતું થયું હોવાનું અનુમાન લગાવી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application