Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરના અંદાડા ગામના માર્ગ પર કાર ખાઈમાં ખાબકી

  • May 04, 2023 

ભરૂચ જિલ્લા માં અકસ્માત ની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે,રોજ ની અકસ્માત ની ઘટનાઓ માં કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાય લોકો સારવાર લેવા મજબુર બનતા હોય છે, ખાસ કરી હાઇવે વિસ્તારમાં અકસ્માત ની ઘટનાઓ સતત સામે આવતી હોય છે, તેવામાં વધુ એક ઘટના ગત મોડી રાત્રીના સમયે સામે આવી છે,



અંકલેશ્વર ના અંદાડા ગામ થી મીઠા ફેક્ટરી તરફ જવાનાં માર્ગ ઉપર ગત રાત્રીના સમયે એક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા ની બાજુમાં આવેલ ખાઈ માં ઉતરી ગઈ હતી, જે બાદ ઉપસ્થિત લોકો માં પણ નાશભાગ મચી હતી, અકસ્માત ની ઘટનામાં કાર નો ચાલક કાર પલ્ટી ખાઈ જતા તેમાંજ ફસાઈ રહ્યો હતો જે બાદ સ્થ્સ ઉપર ઉપસ્થિત લોકોએ તેને રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ બાહર કાઢ્યો હતો, અકસ્માત ની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, જેને લઈ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News