Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાઇકોર્ટે રાજયનાં તમામ ગેમઝોન કાયદાકીય જોગવાઇ અને નિયમોની પૂર્તતા કરે છે કે નહિ તે મુદ્દે ગેમઝોન સાથેની વિગતવાર માહિતી રજૂ કરવા હુકમ કર્યો

  • May 29, 2024 

રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં નિર્દોષ બાળકો, યુવાનો સહિત 30થી વધુ લોકો અગનજવાળામાં ભડયું થઇ જવાના ચકચારભર્યા ગોઝારા કાંડને લઈ ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પિટિશન અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટમાં હાઇકોર્ટનો લંબાણપૂર્વકનો ચુકાદો ચુકાદો અપલોડ કરી દવાયો છે. જેમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ.દેસાઈની ખંડપીઠે નિર્દોષ લોકોના મોતની આ કરૂણાંતિકાની અતિ ગંભીર નોંધ લઇ રાજયભરના તમામ ગેમ ઝોન તાત્કાલિક અસરથી બીજો હુકમ ના થાય ત્યાં સુધી બંધ કરાવવા ફરમાન કર્યું છે. વધુમાં, હાઇકોર્ટે રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશરોને તેમના વિસ્તારમાં ચાલતા ગેમઝોન કાયદાકીય જોગવાઇ અને નિયમોની પૂર્તતા કરે છે કે કેમ તે સહિતના મુદ્દે ગેમ ઝોન સાથેની વિગતવાર માહિતી રજૂ કરવા હુકમ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી પણ આ અંગે હાઈકોર્ટને હૈયાધારણ આપવામાં આવી હતી.


વધુમાં ખૂબ જ મહત્ત્વના આ કેસમાં રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરને પણ ફાયર સેફ્ટીના ઈશ્યુને લઈ પક્ષકાર તરીકે જોડવામાં આવતાં હાઇકોર્ટે રાજય સરકાર, સબંધિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના ચીફ ફાયર ઓફિસરોને નોટિસ જારી કરી હતી. વધુમાં, હાઈકોર્ટે રાજ્યના ગેમિંગ ઝોનમાં સીજીડીસીઆરના નિયમોનું પાલન થયું છે કે કેમ..? ફાયર એનઓસી મેળવાઈ છે કે નહીં, કે તેમના આવા કન્સ્ટ્રક્શનને લઈ સ્ટ્રકચરલ સ્ટેબીલિટી વગેરે મેળવાયા છે કે કેમ? એટલું જ નહી, સંબંધિત જિલ્લા કલેક્ટર અને મામલતદાર પાસેથી ગુજરાત પોલીસ એક્ટ, ઇન્ટરટેઈનમેન્ટ ટેક્સ એક્ટ વગેરે હેઠળ પણ કાયદેસર લાઈસન્સ મેળવાયા છે કે કેમ? તે સહિતના મુદ્દે સત્તાધીશો પાસેથી ખુલાસા સાથેનલ જવાબ માગ્યો છે.


હાઇકોર્ટે બહુ અગત્યના મુદ્દો નોંધતા જણાવ્યું કે, ટીઆરપી ગેમીંગ ઝોન જૂન- ૨૦૨૧માં ચાલુ થયાના ત્રણ વર્ષ બાદ તેના દ્વારા ગૃડા એકટની જોગવાઈ હેઠળ કન્સ્ટ્રકશન (સ્ટીલના પતરાની દિવાલો સાથેનું ફેબ્રીકેટેડ સ્ટીલ ફ્રેમ સ્ટ્રકચર) નિયમિત કરવા કરવા રાજકોટ મનપામાં એપ્લાય કર્યું રાજકોટ અનુયામા એપ્લાય કર્યું હતું. પરંતુ એડવોકેટ અમિત પંચાલ અને ખુદ જનરલે હાઇકોર્ટનું ધ્યાન ગુડા જોગવાઈઓ સાથે પેટા કલમ-૩ને વાંચતા જો ગુજરાત ફાયર પ્રિવેન્સન એન્ડ લાઇફ સેફ્ટી મેસર્સ એકટ-૨૦૧૩ની જોગવાઈઓ પરિપૂર્ણ ના થતી હોય તો તેનું ગેરકાયદે બાંધકામ નિયમિત થઈ શકે નહી. હાઇકોર્ટે હુકમમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ટીઆરપી ગેમીંગ ઝોનનું સ્ટ્રકચર એ કોઇપણ હિસાબે ટેમ્પરરી સ્ટ્રકચર કહી શકાય નહી કારણ કે, અદાલતે બિલ્ડીંગ અને ટેમ્પરરી સ્ટ્રકચરની કાયદામાં નિર્દિષ્ઠ વ્યાખ્યાને ધ્યાનમાં લીધી છે.


દુર્ઘટના ઘટયા પછી સત્તાધીશોની આંખો ખૂલે છે તે બહુ કમનસીબ હાઇકોર્ટે માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, નિર્દોષ બાળકો અને યુવાનો સહિતના લોકોના કોના કરૂણ મોત બાદ સત્તાવાળાઓની આંખો ખૂલે છે તે બહુ કમનસીબ કહી શકાય કારણ કે, રાજકોટના પરિવારોએ તેમના વ્હાલસોયાને ગુમાવી દીધા છે. રાજકોટ ગેમીંગ ઝોનમાં અગ્નિકાંડની દુર્ષટના કોર્પોરેશન સત્તાવાળાઓ એકશનમાં આવ્યા છે અને માહિતી રજૂ કરવા તૈયાર થયા છે. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ.દેસાઈની ખંડપીઠે ગુજરાત રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દર્દનાક ગોઝારી દુર્ઘટનાઓને ટાંકી હતી.


જેમાં 2019માં સુરતના તથશિલા શ આર્કેડમાં લાગેલી ભીષણ આગમાં 22 વિદ્યાર્થીઓ ભડયું થઈ ગયા હતા, તો તારીખ 8/8/2020ના રોજ અમદાવાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ કોરોના દર્દીઓના મોત નીપજયા હતા, તારીખ 07-01-2023ના રોજ શાહીબાગની ઓચિંડ ચ ગ્રીન સોસાયટીના 11મા માળે લાગેલી આગમાં વર્ષની છોકરી આગમાં ભુંજાઇ હતી. તા. 30-10-2022ના રોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત નીપજયા, રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગની દુર્ઘટના અને છેલ્લે વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોની મોતની ઘટનાનો સમાવેશ થાય છે. એ પછી રાજકોટની આ ગેમીંગ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના કે જેમાં હજુ પણ ભોગ બનેલાના મૃતદેહો તેમના પરિજનોને મળ્યાં નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News