Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેબિનેટ મંત્રીએ વાપી મુક્તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

  • September 25, 2024 

વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા વાપી ખાતે ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી મુક્તિધામની મુલાકાત લીધી હતી. આ મુક્તિધામની આજથી સાત વર્ષ અગાઉ આદરણીય કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે આ અત્યાધુનિક અને સુવ્યવસ્થિત મુક્તિધામની મુલાકાત લઈ કાર્યપદ્ધતિની સરાહના કરી હતી. મંત્રીશ્રીએ મુક્તિધામના સંચાલનમાં કાર્યરત મહિલાઓની મુલાકાત કરી અભિનંદન આપ્યા હતા તેમજ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application