Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી કોલેજનાં ટ્રસ્ટી મંડળએ કરી અનોખી પહેલ, કોરોનામાં અનાથ થયેલ બાળકોને વિના મુલ્યે શિક્ષણ આપવાનો નિર્ણય

  • June 08, 2021 

ચીખલીની વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એમ.આર.દેસાઈ આર્ટ્સ અને ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ તથા બીસીએ કોલેજ સેવાકાર્યમાં સતત લોકોની પડખે રહી કાર્યરત છે. આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈએ એક યાદીમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢેક વર્ષથી ચાલતી કોરોનાની ગંભીર મહામારીમાં ઘણા લોકોએ ઘરના વડીલોની છત્રછાયા ગુમાવી છે. ત્યારે વિમલ ઉચ્ચતર કેળવણી ટ્રસ્ટ સંસ્થા દ્વારા કોરોનામાં માતા-પિતા બન્ને ગુમાવનાર સંતાનોને વિના મૂલ્યે શિક્ષણ આપવાનો નિર્ણય કરાયો છે. હાલ કોરોનાની કપરી સ્થિતિમાં બાળકોના અભ્યાસ માટે પુસ્તકો તેમજ ફી નો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો છે.

 

 

 

 

આવા સંજોગોમાં ચીખલી કોલેજનું ટ્રસ્ટી મંડળ કોરોનામાં અનાથ થયેલ બાળકોને મફત શિક્ષણ આપવાની પહેલ કરી છે. ટ્રસ્ટ મંડળ સંચાલિત કોલેજમાં વર્ષ 2021-22ના એડમિશનની પ્રક્રિયા થોડા સમયમાં શરૂ થનાર છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો દૂર કરવા માટે બીસીએ કોલેજ દ્વારા હેલ્પ સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓ રૂબરૂ મુલાકાત કરી યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે તેમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application