Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાંગ્લાદેશની નૌસેનાએ 135 ભારતીય માછીમારોને કસ્ટડીમાં લીધા

  • July 01, 2022 

બાંગ્લાદેશની નૌસેનાએ પોતાના દેશના કોસ્ટલ એરિયામાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવવાના આરોપસર 135 ભારતીય માછીમારોને કસ્ટડીમાં લીધા છે. ઉપરાંત માછલી પકડવા માટેના 8 ટ્રોલર્સને પણ બંગાળની ખાડીમાંથી જપ્ત કરી લીધા છે. જાણવા મળ્યા મુજબ, સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન નૌસેનાના જવાનોએ ભારતીય માછીમારોને કસ્ટડીમાં લીધા હતા.




બાગેરહાટ જિલ્લાના પોલીસ સેલના અધિકારીએ આ અંગે જણાવ્યું કે, તેમની નૌસેનાનાં બનૌજા પ્રત્યાયા અને અલી હૈદર જહાજ દરિયામાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. તે સમયે પહેલા 68 ભારતીય માછીમારોને 4 ટ્રોલર્સ સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નૌસેનાએ વધુ 67 માછીમારોને અન્ય 4 ટ્રોલર્સ સાથે કસ્ટડીમાં લઈને તમામ ટ્રોલર્સ જપ્ત કર્યા હતા. માછલી સહિત જપ્ત કરવામાં આવેલા સામાનની બજાર કિંમત 3.80 કરોડ રૂપિયા છે.





મોંગલા પોલીસ સ્ટેશનના પ્રભારીના કહેવા પ્રમાણે બાંગ્લાદેશના દરિયાઈ ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને માછલી પકડવાના આરોપસર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. તમામ માછીમારોને બાગેરહાટના મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં મોકલી દેવામાં આવ્યા છે.




એક નોટિફિકેશન પ્રમાણે દરિયાઈ માછલીઓનો પ્રજનન સમય ચાલી રહ્યો હોવાથી સરકારે તા.20મી મેથી 23મી જુલાઈ દરમિયાન કુલ 65 દિવસ માટે દરિયામાં માછલી પકડવા પર પ્રતિબંધ લાગુ કરેલો છે. આ પ્રતિબંધના પાલન માટે નૌસેનાના જહાજ અને દરિયાઈ પેટ્રોલિંગ વિમાનો સતત નજર રાખી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application