Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : સોનગઢ-સુરત હાઈવે ટ્રેક ઉપર રસ્તો ક્રોસ કરતાં ખુશાલપુરા ગામનાં ઈસમનું મોત

  • January 16, 2023 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતો સોનગઢ સુરત હાઈવે ટ્રેક ઉપર રસ્તો ક્રોસ કરતા એક ઈસમને ફોર વ્હીલ ગાડીનાં ચાલકે અડફેટે લેતાં ઈસમનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ખુશાલપુરા ગામનાં ગામીત ફળિયામાં રહેતા હસમુખભાઈ ભીમાભાઈ ગામીત (ઉ.વ.58) નાઓ શુક્રવારનાં રોજ સવારે 10 વાગ્યાનાં અરસામાં પોતાના ઘરેથી વ્યારા કોર્ટે ખાતે પોતાના કામ અર્થે ચાલતા ચાલતા નીકળેલ હતા.




તે સમયે કટાસવાણ ગામની સીમમાંથી પાસર થતો સોનગઢ-સુરત હાઈવે ટ્રેક ઉપર સોનગઢ તરફથી એક ફોર વ્હીલ ગાડી નંબર GJ/03/HR/4151નો ચાલક પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તો ક્રોસ કરતા હસમુખભાઈને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં હસમુખભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં મોટાભાઈ જેસીંગભાઈ ગામીતની ફરિયાદનાં આધારે કાકરાપાર પોલીસે ફોર વ્હીલ ગાડીનાં ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News