Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : માયપુર ગામે કાર અડફેટે સાઈકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

  • June 07, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં માયપુર ગામનાં સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર કાર ચાલકે પાછળથી સાઈકલ ચાલકને અડફેટે લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપસા હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં બોરખડી ગામનાં કોલોની ફળિયામાં રહેતા રણજીતભાઈ મોચડાભાઈ ચૌધરી (ઉ.વ.54)નાંઓ ગત તારીખ 19/05/2024નાં રોજ પોતાની સાઈકલ લઈ ઘરે આવતાં હતા.


તે સમયે નેશનલ હાઈવે રોડ ઉપર વ્યારાથી બારડોલી જતાં રોડ ઉપર માયપુર ગામે જવાના યુ-ટન પાસે જાહેરમાં એક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર રણજીતભાઈની સાઈકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં રણજીતભાઈને જમણા હાથે બાવડાનાં ભાગે ફ્રેકચર તથા છાતીનાં ભાગે તેમજ માથામાં કપાળનાં ભાગે નાની મોટી ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે મરણ જનારનાં પુત્ર નૃપેશભાઈ રણજીતભાઈ ચૌધરી નાંએ અજાણ્યા કાર ચાલક સામે તારીખ 05/06/2024નાં રોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application