Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગામનો વિકાસ ન થતાં લોકોએ ચુંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો

  • February 20, 2021 

સોનગઢ તાલુકામાં વાડીરૂપગઢ ગામ આવેલ છે અને આ ગામ ડાંગ તથા તાપી જીલ્લાને જોડતું ગામ છે. હાલમાં ગામમાં રસ્તાની પૂરતા પ્રમાણમાં સગવડ ન હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને ચોમાસાના સમયમાં રસ્તા પર પાણી ફરી વળતું હોય અવર-જવર બંધ થઈ જાય છે. આ કારણે વિધાર્થીઓ અને નોકરિયાત વર્ગને ઘણી મુશ્કેલી પડી રહી છે એ સાથે જ ગામ અને તેની આસપાસના ગામોમાં હાલ મોબઈલ નેટવર્ક પણ મળતું નથી એ બાબતે ગ્રામજનો રજૂઆતો કરી થાક્યા છે પરંતુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આ અંગે ગ્રામજનો એ સરકરી અધિકારીઓ પાસે અને ચૂંટાયેલા લોકો પાસે રજૂઆત કરી હતી.પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

 

 

 

આ બાબતે ગ્રામજનો એ સોનગઢ મામલતદારને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે, ગ્રામજનોને પાયાની સગવડ આપવામાં ન આવે તો આવનાર જીલ્લા, તાલુકા પંચાયતની ચુંટણી સહિતની તમામ ચુંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application