Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : કચરો સળગાવેલ આગ વાડીમાં પહોંચી જતાં મોટાપાયે નુકશાન પહોંચતા માલિકે ફરિયાદ નોંધાવી

  • June 01, 2024 

ડોલવણનાં ચુનાવાડીમાં ચોમાસા પહેલા ખેતરની સાફ-સફાઈ કરવા ગયેલા દંપતિએ કચરો સળગાવવા આગ લગાવતા જેની જવાળા પાડોશમાં આંબાવાડીમાં પહોંચી જતા આંબાવાડી બળી જતા મોટાપાયે નુકશાન થયું હોવાની ફરીયાદ આંબાવાડીનાં માલિકે પોલીસ મથકે કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણ ગામનાં ચુનાવાડી ગામનાં ઉપલું ફળીયામાં રહેતા રાહુલભાઈ ચતુરભાઈ કુંકણા(ઉ.વ.31)ની ખાતા નંબર 146 બ્લોક સર્વે નં.95 વાળી જમીનમાં આંબા કલમની વાડી કરેલ હોય, આંબા ઉપરની કેરીઓનો ઉતાર બાકી હતો.


આંબાવાડી નજીક ખેતર ધરાવતા ગામના જ શૈલેષભાઈ અમતભાઈ ચૌધરી અને ઉષાબેન શૈલેષભાઈ ચૌધરી તેઓના ખેતરમાં કચરો સળગાવતા હતા. તે વખતે આગની જવાળાઓ બાજુમાં આવેલી આંબાવાડીમાં પહોંચી જતા આગએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આંબાવાડીના નાના-મોટા ઝાડ મળી કુલ 22 જેટલા તથા જેના ઉપર આવેલ કેરીના ફળો આશરે 50 મણ જેની આશરે કિંમત રૂપિયા 40,000/-થી વધુ તથા આંબા કલમના ઝાડ, ચીકુંનું ઝાડ, ચંદનનું ઝાડ આગમાં સળગી જતા આર્થિક નુકશાન થયું હતું. આગ સળગાવનાર શૈલેષ ચૌધરી તથા ઉષાબેન ચૌધરી સામે પોલીસ મથકે આંબાવાડીના માલિકે ફરિયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application