વ્યારા નગરના મિશન નાકા ચર્ચ પાસે આવેલા મેદાનમાં એક વ્યક્તિ દ્વારા પરમિશન લઈને મેળો ચલાવનારને ફોન પર પત્રકાર હોવાની ઓળખ આપી 11 હજાર રૂપિયાની માગણી કરી હોવાની ફરિયાદ મેળા ચલાવનાર વ્યક્તિએ રૂપિયા માંગનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસ મથકે પૈસા માગણી કરવાના અને ખોટા ગુનામાં ફસાવી દેવા બાબતની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વ્યારા નગરમાં સ્ટેશન રોડ પર રહેતા ખલીલ સમરુંદિન કુરેશી જે સુપર માર્કેટ મેળાઓના આયોજન કરી જીવન ચલાવે છે. હાલમાં ખલીલભાઈ દ્વારા વ્યારા નગરના મિશનના ચર્ચની સામે તમામ પરમિશન સાથે મેળો ચાલુ કર્યો છે. ખલીલ ભાઈ મેળામાં બેઠા હતા.
ત્યારે એક અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલ લઈ તેમની પાસે આવી અને કહ્યું હતું કે, તમારી સાથે પ્રેસ રિપોર્ટર અબુબકર વલીભાઈ મલાડા(મુસ્લિમ મેમણ) રહે.તળાજા જીલ્લો ભાવનગર વાત કરવાના છે. એમ કહી ખલીલ ને ફોન પર વાત કરાવી હતી. જે ફોનમાં સામેવાળા પ્રેસવાળા બોલું છું. કહી મારા માણસને 11 હજાર રૂપિયા આપી દેજો કહી પૈસાની માગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો તમે એકલા મલશો તો તમને જીવવા નહીં દઉં પોલીસ ખાતામાં ફોન કરી તમારી મુશ્કેલી વધારી દેવાની ધમકી આપી હતી. જેના પગલે ખલીલ કુરેશીએ વ્યારા પોલીસ મથકે અબુબકર વલીભાઈ મલાડા વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500