Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ નિયંત્રણો માંથી મુક્ત કરાયા

  • January 23, 2021 

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા તા.13/03/2020થી ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897 અન્વયે ધી એપેડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020 જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

 

 

 

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના પગલા રૂપે ભારત સરકારશ્રીની તા.30/05/2020ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.30/05/2020ના જાહેરનામાંથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટરશ્રી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.06/04/2020ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે.

 

 

 

જેના અનુસંધાને કોરોના વાયરસ કોવિડ-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારને અગાઉ COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) જાહેર કરવામાં આવેલ હતા. જેમાં વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્કુલ સંકુલ-1 તથા નાનીકુંડળ ફળીયુ-1 વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા અને આસપાસના વિસ્તારને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ હતા.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application