Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં રહેતા પરેશભાઈ કણસાગરા લાપતા

  • April 03, 2021 

વ્યારાના સ્નેહકુંજ સોસાયટી લેકવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઈ હેમરાજભાઈ કણસાગરા તા.30-03 –2021ના રોજ સવારે 5 વાગ્યાના અરસામાં સુરતના વરાછા ખાતે રહેતા જીગ્નેશભાઈને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.

 

 

 

પરંતુ તેઓ આજદિન સુધી ઘરે પરત આવેલ નથી. પરેશભાઈના પરિવારે તેમના સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કોઈ પત્તો મળેલ નથી. ગુમ થનાર આશરે 49 વર્ષ, ઘઉંવર્ણ, મોઢું લંબગોલ, ઉંચાઈ આશરે 6 ફૂટ, મધ્યમ બાંધો તથા શરીરે કાળા કલરનો ચોકડીવાળો શર્ટ તથા કમરે ગ્રે-કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. તેઓ હિન્દી, ગુજરાતી, મરાઠી, તથા કન્નડ ભાષા બોલે છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application