Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : દૂધ સંજીવની યોજના હેઠળના દૂધના પાઉચ નદીમાંથી મળી આવ્યા, કોણે ફેંક્યા અને ક્યા કારણોસર ફેંકી દેવાયા ? તપાસ શરૂ

  • March 11, 2023 

વાલોડના તીતવા ગામેથી મોંઢોળા નદીમાંથી દૂધ સંજીવની યોજના હેઠળના હજારોની સંખ્યામાં દૂધના પાઉચો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. જોકે બનાવને લઈ વાલોડ આઇસીડીએસ વિભાગના અધિકારીએ તપાસ હાથ ધરી હતી. જેમા આ દૂધના પાઉચ પ્રાથમિક શાળામાં આપવામાં આવતા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.


ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવ્યો

સમગ્ર મામલે વાલોડ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓને જાણ કરાતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દૂધના પાઉચ પ્રાથમિક શાળામાં આપવામાં આવતા દૂધ સંજીવનીના હોવાનું માલુમ પડતા ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે.


ગામના સરપંચે પણ આ મામલે તપાસની માગ કરી

મહત્વપૂર્ણ છે કે આદિવાસી વિસ્તારમાં રહેતા કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત સુમુલ સાથે કરાર કરી દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારે બાળકો સુધી દૂધના પાઉચ પહોંચવાની જગ્યાએ નદીમાંથી મોટી સંખ્યામાં દૂધના પાઉચ મળી આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગામના સરપંચે પણ આ મામલે તપાસની માગ કરી છે.


દૂધના પાઉચ કોણે ફેંક્યા અને ક્યા કારણોસર ફેંકી દેવાયા તે અંગે તપાસ શરૂ


છેવાડાના ગરીબ અને આદિવાસી વિસ્તારના બાળકોને પોષણ મળી રહે તે માટે સરકાર દ્વારા દૂધ સંજીવના યોજના કાર્યરત છે. ત્યારે શાળામાં બાળકોને આપવામાં આવતા દૂધના પાઉચ ફેંકી દેવાયા હોવાનો ખૂલાસો થયો છે. આ મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓને રિપોર્ટ કરાયો છે અને દૂધના પાઉચ કોણે ફેંક્યા અને ક્યા કારણોસર ફેંકી દેવાયા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application