Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં બજાજ ફાઈનાન્સ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર સાથે મારામારી કરનાર બે ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

  • April 30, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : મળતી માહિતી અનુસાર, વ્યારા નગરનાં સ્ટેશન રોડ ઉપર બજાજ ફાઈનાન્સમાં આસિસ્ટન્ટ મેનેજર સાથે મારમારી કરનાર નગરનાં જ બે ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી અનુસાર, વ્યારા નગરનાં સ્ટેશન રોડ ઉપર આવેલ સ્કાય લાઈન બિલ્ડીંગમાં બજાજ ફાઈનાન્સમાં આસિ.મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલભાઈ જયેશભાઈ ગુણગે (રહે.અજીતનાથ સોસાયટી,વોલેટ હાઈપર માર્ટની બાજુમાં, કાનપુરા-વ્યારા) નાઓ ગુરૂવારનાં રોજ બપોરનાં સમયે ઓફિસમાં હાજર હતા.



તે દરમિયાન અજીતભાઈ અમૃતભાઈ ચૌધરી અને કલ્પેશભાઈ મગનભાઈ સિરસાળે (બંને રહે.જૂની પોલીસ લાઈન પાછળ, વ્યારા) નાઓ આવી પહોંચ્યા હતા અને જેમાંથી અજીતભાઈએ આસિ.મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલભાઈ નાને કહ્યું હતું કે, મારી પત્નીને લોન ભરવા માટે કેમ ફોન કરે છે ? તેવું કહ્યું હતું. જોકે મેનેજર વિરલભાઈએ જણાવ્યું હતું કે, કોઈ ફોન કરેલ નથી તેમ છતાં અજીતભાઈનએ કહ્યું કે તમે જ ફોન કરેલ તેવું કહી વિરલભાઈનો શર્ટનો કોલર પકડી તેને ધક્કો માર્યો હતો.



તેમજ કલ્પેશભાઈએ પણ ઉશ્કેરાઈ જઈ નાલાયક ગાળો આપી અને પોલીસ સ્ટેશન લઈ જશે તો તને જોઈ લઈશુ તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વિરલભાઈ ગુણગેની ફરિયાદનાં આધારે વ્યારા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application