Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડા ખાતે કોવિડમાં મૃત્યુ પામનારના પરિવારને સહાય મળે તે અંગેનું આવેદનપત્ર અપાયું

  • January 08, 2022 

કુકરમુંડા ખાતે ગતરોજ નિઝર મત વિસ્તારના ધારાસભ્ય સુનિલભાઈ ગામીત તથા અન્ય કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓઓ કોવિડ-19 ન્યાય યાત્રા હેઠળ ભાજપ સરકાર સામે તીખા પ્રહારો કરતા બેનરો કાઢી હતી. માસ્કના દંડની કમાણી-વાપરી કરવા ઉજાણી, ન્યાય તો હમ દિલાકે રહેંગે, દહાહીન ભાજપ સરકાર બરબાદ થયા અનેક પરિવાર વિગેરે અનેક પોસ્ટર સાથે રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓ, હોદ્દેદારોએ કુકરમુંડા મામલતદાર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપતા જણાવ્યું કે, કોવિડમાં મૃત્યુ પામેલા મૃતકના આધાર-પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારો કરવા નોડલ ઓફિસરની નિમણુંક કરવી જોઈએ.જયારે મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુઆંક છુપાવવાની સરકારે કોશિશ કરી છે. મૃતકને રૂપિયા 50 હજારનું પશુઓનું સરખું વળતરનું ધારાધોરણ રાખી માનવજાતની ક્રૂર મજાક સરકારે કરી છે. કોવિડમાં મૃત્યુ પામનાર દરેકને 4 લાખનું વળતર તથા દર્દીઓના તમામ મેડીકલ બીલની રકમની ચુકવણી કરવી જોઈએ, કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનોએ કાયમી નોકરી આપવી જોઈએ, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી જુદી જુદી માંગ રજુ કરી હતી. જો સરકાર ઉધોગપતિ ઓના દેવા માફ કરી શકતી હોય તો કોવિડથી મૃત્યુ પામનારને વળતર ચુકવવામાં કેમ વિલંબ કરે છે તેવો આક્રોશ ઠાલવ્યો હતો.

વ્યારાના ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાનમાં તાપી જિલ્લામાં કોવિડ 19માં પરિવારોને સહાય મળે તે માટે વ્યારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application