Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં માલોઠા ગામની સીમમાંથી પસાર થતાં વ્યારા-ઉનાઈ રોડ ઉપરનાં અકસ્માતમાં ત્રણને ઈજા

  • December 20, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં માલોઠા ગામની સીમમાંથી પસાર થતાં વ્યારા-ઉનાઈ રોડ ઉપર બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં ઉમરવાવ નજીક ગામનાં તળાવ ફળિયામાં રહેતા અજયભાઈ વિનોદભાઈ ચૌધરી અને તેમના પત્નિ ચેલાતાબેન નાઓ ગત તા.11 ડીસ્મેબરનાં રોજ બપોરનાં સમયે પોતાના કબ્જાનું બાઈક નંબર GJ/26/AA/8277 લઈને કપુરા ગામથી ઉમરવાવનજીક ગામ જતા હતા.




તે સમયે માલોઠા ગામની સીમમાંથી પસાર થતાં વ્યારા-ઉનાઈ રોડ ઉપર પીન્ટુભાઈ બચુભાઈ ચૌધરી (રહે.બેડકુવા-બાલ્દા, બેડકુવા ગામ, તા.વાલોડ)નાઓ સામેથી પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/AD/5912ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાની આગળ ચાલતી કારને ઓવરટેક કરવા જતાં અજયભાઈની બાઈકને અડફેટે લીધી હતી. જોકે આ અકસ્માતમાં અજયભાઈનાં જમણા પગનાં પંજામાં ફેકચર કરી તથા બંને હાથે અને શરીરે ઈજા પહોંચી હતી તેમજ બાઈક પર સવાર તેમના પત્નિ ચેલતાબેનને જમણા પગમાં ફેકચર કરી તથા શરીરે ઈજા પહોંચી હતી. જયારે આરોપી પીન્ટુને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે અજયભાઈ ચૌધરી નાએ તા.19નાં રોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application