Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ કોલેજમાં ‘સ્ટુડન્ટ સ્ટાટપ, રિસર્ચ અને ઇનોવેશન’ અંગે સેમિનાર યોજાયો

  • September 20, 2022 

સોનગઢ ખાતેની સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં આજરોજ ‘સ્ટુડન્ટ સ્ટાટપ રિસર્ચ અને ઇનોવેશન' અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના કો-ઓર્ડિનેટર કૃષ્ણાબેન યાજ્ઞિક ઉપસ્થિત રહી કોલેજનાં વિદ્યાર્થીઓ સ્ટાટપનાં માધ્યમથી આત્મનિર્ભર ભારત બને અને તેના માટે સરકાર તરફથી આપવામાં આવતી સહાય અને તેનો વપરાશ કેવી રીતે કરવો તેની વિસ્તૃત માહિતી આપી હતી.




તેમજ સાથે યુનિ. સુરતથી પૂજાબેન કંતારીયા તથા દિવ્યેશ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. જે અંતર્ગત કોલેજમાં આચાર્ય ડો.રાજેશભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત અને પ્રસંગોચીત વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન હિરેન કાકડીયાએ કર્યું હતું અને અંતે રાકેશભાઈ ગામીતે આભારવિધિ કરી હતી.  આમ કોલેજનાં ટી.વાય.નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સાથે કોલેજનાં તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application