Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે ‘કાનબાઈ માતા’ની સ્થાપના કરી ઉજવણી કરાઈ

  • August 02, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા ખાતે મહારાષ્ટ્રીયન સમાજનાં લોકો દ્વારા કુળદેવી ‘કાનબાઈ માતા’ની પવિત્ર શ્રાવણ મહિનામાં રવિવારનાં દિને સ્થાપના કરીને ઉજવણી કરવામાં આવે છે. જેમાં ‘કાનબાઈ માતા’ની એક દિવસ સ્થાપના કરી ભક્તો દ્વારા આખી રાત પુજા અર્ચના અને આરાધના કરી જાગરણ કરવામાં આવ્યુ હતુ અને જાગરણ દરમિયાન ભજનો પણ ગવાયા હતા.




તેમજ બીજા દિવસે સવારે આરતી કરી ‘કાનબાઈ માતા’ને બાજટ પર બેસાડીને ભક્તો પોતાના માથા પર મૂકી ઢોલ નગારા વગાડી વાજતે ગાજતે નગરમાં ફેરવી ‘કાનબાઇ માતા’ને નદીમાં સ્નાન કરાવી પરત ઘરે લાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજનાં લોકો હાજર રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application