Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેવમોગરા મંદીર પરિસરની સફાઈ કરતા સ્વયંસેવકો માટે 'સ્વચ્છતા હી સેવા'

  • October 15, 2023 

નર્મદા જિલ્લો એટલે પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાયનું નિવાસસ્થાન. બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લાને કુદરતે મન મુકીને પ્રાકૃતિક સૌંદર્ય ભેટ સ્વરૂપે અર્પી છે. આ ભેટને જાળવી રાખવાની જવાબદારી નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિકની છે. નર્મદા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં નાગરિકો પણ હોંશભેર ભાગીદારી નોંધાવી રહ્યા છે. નર્મદા જિલ્લાની આ પાવન ધરતી પર આદિવાસી સમાજના કુળદેવી પાંડોરી માતાનું (દેવમોગરા) મંદીર આવેલું છે. સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આવેલું આ મંદિર ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમુદાયનું આસ્થા કેન્દ્ર છે. નર્મદા જિલ્લાની આ અદભૂત અને અલૌકિક ભૂમિ તથા આદિવાસીઓની આસ્થાના કેન્દ્ર એવા દેવમોગરા યાત્રાધામની સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે.



જ્યાં સ્વયંસેવકો દ્વારા મંદીર પરિસર - પાર્કિંગ, સ્ટોલ્સ વિસ્તાર સહિતની સફાઈ કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા સર્વોપરીના મંત્ર સાથે વર્ષ ૨૦૧૪ માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. સ્વચ્છતાની આ ઝુંબેશ વિશ્વની સૌથી મોટી સ્વચ્છતા ઝુંબેશની સફળતામાં લોકોની ઉત્સાહભેર જનભાગીદારી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. સ્વચ્છતા લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે તેમજ પર્યાવરણના જતન અને રક્ષણ માટે પણ સ્વચ્છતા ખૂબ જરૂરી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ફરી એક વખત લોકોમાં સ્વચ્છતાની ભાવના કેળવવા, લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા અને ભાવિ પેઢીને સ્વચ્છતાનું મહત્વ સમજાવવા શરૂ થયેલી આ રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશમાં નર્મદા જિલ્લો પણ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application