Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર અકસ્માત : બસ ખાડામાં ખાબકતાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

  • August 13, 2024 

સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે અકસ્માત સજાર્યો છે જેમાં 30 મુસાફરોને ભરીને જઇ રહેલી સરકારી બસ ખાડામાં ખાબકતાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. અકસ્માતની જાણ થતાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર-રાજકોટ હાવે પર સરકારી બસ અકસ્માતનો ભોગ બની હતી.


જેમાં બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી નીચે ઉતરી જઇ ખાડામાં ખાબકી હતી. જેના લીધે 20 વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી, જ્યારે સદનસીબે કોઇ જાનહાનિ થઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તથા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઇજા પામેલા 20થી વધુ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી પોલીસ બે કલાકની ભારે મહેનત બાદ ટ્રાફિકને દૂર કરી રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News