Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરામાં વિધવા મહિલાના મકાનમાંથી રૂપિયા 1.45 લાખના મતાની ચોરી

  • December 10, 2020 

પાંડેસરાના ડુંડીગામ પાસે રહેતી વિધવા મહિલાના મકાનને તસ્કરોઍ નિશાન બનાવી રોકડા ઍક લાખ અને દાગીના મળી કુલ રૂપિયા 1.45 લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા.

 

 

 

 

પાડેસરા પોલીસના જણાવ્યા મુજબ ડુંડીગામની બાજુમાં વિશ્વકર્મા ઍપાર્ટમેન્ટમાં રહેતા રેણુકાબેન મહેન્દ્રભાઈ મોરે (ઉ.વ.35)ના પતિનું દોઢ વર્ષ પહેલા અવસાન થયા બાદ તેઓ લોકોના ઘરે ઘરકામ અને ઘરે સિલાઈ કામ કરી પરિવારમાં દીકરી અનુષ્કા (ઉ.વ.13) અને દીકરો તિર્થ (ઉ.વ.9 )નું ગુજરાન ચલાવે છે. રેણુકાબેને મજુરી કરી ઍક લાખની બચત કરી કબાટમાં મુક્યા હતા. દરમિયાન ગઈકાલે રાત્રે અજાણ્યાઓ તેમના ઘરમાં ત્રાટક્યા હતા. અજાણ્યાઓઍ  બેડરૂમની બારીમાંથી અંદર ઘુસી કબાટમાં મુકેલા રોકડા 1 લાખ અને દાગીના મળી કુલ રૂપિયા 1,45,700 ના મકાનમાં ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે રેણુકાબેનની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application