Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તું અહી રહેતો નથી તો પણ તુ કેમ આવે છે તુ વિસ્તારનો દાદો બનાવ માંગે છે હોવાનું કહી રત્નકલાકાર પર જીલવેણ હુમલો

  • October 13, 2020 

વેડરોડ વિશ્રામનગર મંગલમુર્તી ઍપાર્ટમેન્ટ પાસે ઉભેલા વરીયાવી હજારના રત્નકલાકારને બે જણાઍ તું અહી રહેતો નથી તો પણ તું કેમ આવે છે તુ વિસ્તારનો દાદો બનવા માંગે છે ? હોવાનુ કહી છાતીના ભાગે ચપ્પુના ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા.

 

ચોકબજાર પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ખાન સાહેબનું ભાઠુ ધાસ્તીપુરા વરીયાવી બજાર ખાતે રહેતા અને હીરા મજુરી કરતા કાશીનાથ તુકારામ પવાર (ઉ.વ.૨૬) સાંજે પાંચેક વાગ્યે વેડરોડ વિશ્રામનગર મંગલમુર્તી ઍપાર્ટમેન્ટ પાસે ઉભો હતો. તે વખતે તેની પાસે રોહિત કોષ્ઠી અને સ્વપ્નીલ પાટીલ આવી “તુ અહી રહેતો નથી તો પણ તુ કેમ આવે છે તુ વિસ્તારનો દાદો બનવા માંગે છે” ?? તેમ કહી છાતી અને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.

 

તેમજ જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે કાસીનાથની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application