Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્વાનમાં ડાયાબિટીશનું પ્રમાણ વધ્યું એટલે આક્રમક બન્યાં, સુરતના મેયરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું

  • April 02, 2023 

ગુજરાતમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. સુરતમાં છેલ્લા 40 દિવસમાં રખડતા શ્વાનોએ 3 લોકોનો ભોગ લીધો છે. જેમાં બે બાળકો જીવ ગુમાવી ચૂક્યાં છે. ત્યારે શહેરના મેયરે આ બાબતે નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતાં કહ્યું હતું કે, શ્વાનોમાં ડાયાબિટીશનું પ્રમાણ વધ્યું છે એટલે તેઓ આક્રમક થઈ રહ્યાં છે.


સુરતમાં રખડતા શ્વાન આતંક મચાવી રહ્યાં છે


સુરતમાં છેલ્લા 40 દિવસમાં રખડતાં શ્વાનના હૂમલામાં બે બાળકોનો જીવ ગયો છે. 29 માર્ચે સુરતમાં કૂતરાના હૂમલા બાદ સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અમરોલીમાં પણ બે બાળકો પર રખડતાં શ્વાને હૂમલો કર્યો હતો. સુરતમાં રખડતા શ્વાન આતંક મચાવી રહ્યાં છે. ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ આ અંગે એવું જણાવ્યું હતું કે, રખડતા શ્વાનોમાં ડાયાબિટિશનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે તેઓ આક્રમક થઈ રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News