Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી. વિનાની મિલ્કતો સામે સીલીંગની કામગીરી હાથ ધરી

  • December 02, 2023 

સુરતમાં વર્ષ 2019માં તક્ષશિલા દુર્ઘટના બાદ શહેરના કોમર્શિયલ બિલ્ડીંગમાં પાલિકાના ફાયર વિભાગે કડકાઈ શરુ કરી છે. પાલિકાની આવી કામગીરી છતાં પણ સુરતમાં અંદાજે પાંચ હજાર જેટલી દુકાનો ધરાવતી 40 જેટલી માર્કેટે ફાયર સેફ્ટીની એન.ઓ.સી. રીન્યુ કરાવી નથી. પાલિકા દ્વારા હાલમાં ફાયર એન.ઓ.સી. રીન્યુ ન કરાવનાર માર્કેટ તથા અન્ય સંસ્થા સામે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે એક માર્કેટની 1500 દુકાનો સીલ કર્યા બાદ આગામી દિવસોમાં 40 જેટલી માર્કેટમાં ફાયરની એન.ઓ.સી. મુદ્દે કામગીરી કરવામાં આવશે. સુરત નજીક આવેલા સચીનની એથર કંપનીમાં ભીષણ આગ લાગ્યા બાદ પાલિકાનું ફાયર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.



આ આગની દુર્ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી. વિનાની મિલ્કતો સામે સીલીંગની કામગીરી હાથ ધરી છે. પાલિકાએ અભિષેક માર્કેટની 1500 દુકાન સીલ કરાયા બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પાલિકાના ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, હજી પણ સુરતમાં નાની મોટી 40 જેટલી એવી માર્કેટ છે તેમાં પાંચ હજાર જેટલી દુકાનો છે પરંતુ તેઓએ ફાયર સેફ્ટી માટે એન.ઓ.સી. રિન્યુ કરાવી નથી. આવી માર્કેટનો સર્વે હાલ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આ માર્કેટને નોટિસ આપી ફાયર સેફ્ટીની એન.ઓ.સી. રીન્યુ કરાવવા માટે તાકીદ કરવામાં આવશે. નોટીસમાં આપેલી સમય મર્યાદા બાદ પણ જો નિયત સમયમાં ફાયર સેફ્ટી માટેની એન.ઓ.સી. રિન્યૂ કરાવવામાં નહીં આવે તો. તેવી માર્કેટ સામે સીલીંગની કામગીરી કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application